એક હોસ્પીટલમાં એક ભાઇનું મૃત્યુ થઈ ગયું. તેના ઘરનાઓને શું થયું કે તેઓએ તેનું પોસ્ટ મોર્ટમ જે હોસ્પીટલમાં મૃત્યુ થયું હતું તેમાં નહીં પણ, સરકારી હોસ્પીટલમાં કરાવ્યુ અને માલૂમ પડ્યું કે આ ભાઇનું મૃત્યુ તો છેલ્લા ત્રણ કે ચાર (3/4) દિવસ પહેલા થઈ ગયું છે! આટલું સાંભળીને કોઈને પણ એવું થાય કે તેઓના ઘરના તો જાગરૂક હતા એટ્લે બીજી હોસ્પીટલમાં પી.એમ. કરાવ્યુ તો જ ખ્યાલ પડ્યો ને બાકી ખબર જ કેમ પડત? બરાબર, જેમ તમને લોકોને વિચાર આવ્યો બિલકુલ તેવો જ વિચાર મને પણ આવ્યો હતો. પણ તેઓના ઘરનાઓએ આ આખી મેટર પોલીસમાં આપતા પહેલા હોસ્પિટલના ડોક્ટરને વાત કરી. તો ડોક્ટર પણ પણ અતિ જાગરૂક કે તેણે જે દિવસે આ ભાઇનું મૃત્યુ થઈ ગયું હતું તે પછીના એટ્લે કે ત્રણ-ચાર દિવસના પૈસા ના લીધા અને આ આખી મેટર પોલીસની અને પબ્લિકની સામે આવે તે પહેલા ત્યાને ત્યાં જ પતાવી દીધી.
આમાં તે ઘરનાઓની જાગરુકતા તો હતી પણ સંપૂર્ણત: ન હતી. જો આ આખી ઘટના દુનિયા સમક્ષ આવત તો તે ડોક્ટર બીજી વખત આવું કાર્ય કરવાને લાયક જ ના રહેત. બાય ધ વે આપણો અહીનો મુદ્દો અલગ છે. થોડા દિવસ પહેલા હું હરિદ્વારથી અમદાવાદ આવતો હતો ત્યારે મને એક સર મળેલા તેણે મને એક સારી વાત કહેલી કે “અત્યારે ભણેલા લોકો, અભણ બની ગયા છે.” મતલબ કે “તમને જો બધા નિયમ, કાયદા-કાનૂનની ખબર હોવા છતાં જો તમે તેનો ઉપયોગ કરીને કોઈના સારા માટે થતાં કાર્ય ના કરો મતલબ તમે ભણેલા તો છો પરંતુ અભણ જ છો.”
લગભગ એકાદ કે દોઢ વર્ષ પહેલા જ્યારે આર્ટ ઓફ લિવિંગના બેઝિક કોર્ષમાં હું ગયેલો ત્યારે મને કાઇંક આ વિધાન સાંભળવા મળ્યું “સમાજમાં જે કાઇ સમસ્યા છે એ “”દુર્જન”” લોકોની સક્રિયતાથી નથી, એ તો “”સજ્જન”” લોકોની નિષ્ક્રિયતાથી છે.” મને પૂર્ણત: સાચુ લાગી રહ્યું છે આ વાક્ય. બરાબર સરે મને કહેલું તેવું જ આ વાક્ય છે. આમાં સમાજનું નામ આવ્યું તો કુંભાર સમાજ કે લોહાણા સમાજ કે પટેલ સમાજ પૂરતી વાત નથી થતી આતો સમગ્ર માનવજાતિના સમાજની વાત થઈ રહી છે.
કીક મૂવીમાં પણ આનું ઉદાહરણ આપેલું છે જેનો ડાયલોગ કાઇંક આવો છે “ आप कमीने हो और आप अपना काम बहोत अच्छी तरहसे कर रहे हो। मुजे प्रोबलेम हे अच्छे लोगो से क्यूंकी ये अच्छाई नहीं कर रहे, जब तक आप जेसे कमीने लोग इनकी….”