हौसला ना छोड़ कर सामना जहाँ का…

हौसला ना छोड़ कर सामना जहाँ का
हौसला ना छोड़ कर सामना जहाँ का
वो बदल रहा है देख रंग आसमान का
रंग आसमान का
ये शिकस्त का नही ये फ़तेह का रंग है
ज़िंदगी हर कदम एक नयी जंग है
ज़िंदगी हर कदम एक नयी जंग है

रोज़ कहाँ ढूँढेगे सूरज चाँद सितारों को
रोज़ कहाँ ढूँढेगे सूरज चाँद सितारों को
आग लगा कर हम रोशन कर लेंगे अँधियारो को
आग लगा कर हम रोशन कर लेंगे अँधियारो को
गम नही जब तलक़ दिल मे ये उमंग है
ज़िंदगी हर कदम एक नई जंग है
ज़िंदगी हर कदम एक नई जंग है 

     

इस गीत को न जाने कितनी बार सुना होंगा पर गीत के शब्दो को गहराई से समजना और जीवन मे उतरना और इस शब्द के साथ जीना एक अलग बात होती हे। मे कोई बड़ा तीस मारखा नहीं हु लेखन की दुनिया मे मगर मुझे लिखना पसंद हे इस लिए कभीभी लेपटोप शरू करता हु और किबोर्ड पर उंगलिया घूमना शरू कर देती हे। आज मुझे अपनी बात करनी हे। 28 साल की उम्र मे लोग जब जिंदंगी मे शादी करके सेटल हो जाते हे उस वक्त मेरे जेसे लोग सोचते हे के, चलो पहेले अपने शहर से निकलके मेट्रो सिटी मे सेट होते हे फिर शादी के बारे मे सोचेंगे। मे ये नहीं कहना चाहता के, मे पूरी तरहा सेटल हो चुका हु। पर हा जब मेने सोचा और उस सोच को करके दिखाया तब जो आत्म-संतोष मिलता हे उसे किसी पैसे से नहीं खरीद शकते आप। मुझे बहोत लोग कहेते हे के, आपकी उम्र बहोत बढ़ चुकी हे शादी के लिए!! अब तो आपको कोई भी लड़की मिले तो शादी के लियी हा बोल कह देना चाहिए। इस सवाल का जवाब मे कभी देना भी नहीं चाहता तो दूसरा सवाल होता हे, आप ने अब क्यू शादी नहीं की? हा इस सवाल का जवाब मे हमेशा देना चाहूँगा क्यू की इसी जवाब मे तो मेरी जिंदगी छुपी हुवी हे!! मेने आज तक जो भी किया हे वो मेरी मर्जी से किया हे, शायद ये आप लोगो को घमंडवाली बात लेगेगी मगर यही सत्य हे। मेरे जेसे लोग जो पहेले से पढ़ाई मे ठीक थे, और ऊपर से वो स्पर्धात्मक परीक्षा की तैयारी करते हे तो जाहीर सी बात हे उसे उसमे कामयाबी मिले भी और नहीं भी। तो मेने भी बहोत सारी परीक्षा की तैयारी की थी। वेरावल से राजकोट – अहमदाबाद बहोत आया मे। मगर उसमे कभी सफल नहीं हुवा। हा, बिच मे एक बेंक की परीक्षा मे पास हो गया था पर मार्क्स इतने कम थे के काही बात ही नहीं बनी। तो मुझे इस सब से कोई अफसोस नहीं हे। क्यू की इसी तैयारी के चक्कर मे मुझे पढ़ने का व्यसन लग गया और थोड़ा बहोत लिखने का भी और साथ ही मेरे घर पे एक बहोत छोटी पुस्तकालय भी हो गयी। ये सब मे अपनी मर्जी से और अपने दिल से करता था मगर मगर दोस्तो अगर दुनिया मे जिंदा रहना हे तो दिल से नहीं दिमाग से सोचो और जब मे दिमाग से कुछ सोचता मे बहोत आगे निकल चूका था पर पैसो के मामले मे काही पीछे था मे!! तो फिर कस्म कस शरू हुवी दिल और दिमाग के बीच मे और दिमाग को थोड़ा खोला और और साथ-साथ मे दिल को भी समजाया के तेरा भी मे कहना मानुगा चिंता मत कर। पर वो बोलते हे ना के, दिमाग ने दिल को मत दे ही दी आखिर कार और पूरे दिमाग से मे सब काम करने लग गया और थोड़ा बहोत ही दिल से काम करने लगा और सोचने लगा। और वेरावल से निकल गया। सबको आज तक एसा ही लगता था के, मे अब वेरावल से नहीं निकलूँगा मगर मे निकाल गया और मे यहा से भी आगे जाना चाहता हु और जावुंगा भी, मुझे उससे कोई फर्क नहीं पड़ता के, मे कितना भी सेट हो गया हु। हा, अब जो भी होगा पूरी प्लानिंग से होगा, अबतक कभी कोई प्लानिंग नहीं की थी मगर अब होगा। और मे एसा कतई नहीं मानता के इस उम्र या उस उम्र के बाद आप अपनी ज़िंदगी मे परिवर्तन नहीं कर शकते। आप अपने जीवनमे परिवर्तन कभीभी और जेसा आप चाहे वेसा परिवर्तन ला शकते हे। एसा मेरा विश्वास हे, घमंड नहीं। घमंड और विश्वास के बीच मे जो पल होता हे उसे मेने कब का पार कर लिया हे। और इसी विश्वास से मे आगे बढ़ा हु और बढ़ता रहूँगा। हा, इस आगे बढ्ने के दरमियान जीतने भी लोगो का साथ मिला उस सब से मे हमेशा तहे दिल से सुखरियादा करता रहूँगा।   

                        आखिर मे वो ही,

ज़िंदगी हर कदम एक नई जंग है….   

Ahmedabad,में आ गया….

तो फाइनली हमने (मतलब में इसमे सिर्फ मेरा ही नही देखना चाहता, इसमे मेरे पूरे परिवारका सहयोग है) अहमदाबाद में अपना फ्लेट में ग्रह प्रवेश किया। जिसमे मेरी बहन और उनके पूरे परिवारका काफी योगदान रहा। अहमदाबाद। अहमदाबाद सिटी की कहानी मेरे जीवनमे काफी सालो पहले शरू हुवी थी।
मुझे अभीभी याद है, में जब 2006-07 में आया था तब शिवरंजनी का ब्रिज बन रहा था उसके बाद में 2009 में राजकोट में रहा उसके बाद 2010 से अहमदाबाद का सफर शरू हुवा। 2010में जब अहमदाबाद आया था तब मुकेशभाई और रविभाई के साथ रामदेव नगर, सेटेलाइट में एक रुम में रुका था और साथ मे कोल सेंटर में जॉब की शरुआत की थी। और ये जॉब काफी दिनों नही चली और तीन महीने में ही में वापस वेरावल चला गया। फिरसे थोड़े दिनों के बाद मामा के घर पर रहकर gpsc के क्लास शरू किये। वो भी करीब एक साल किया उसके बाद फिरसे वेरावल!!! फिर BigB यानी कि बड़े भाई के साथ जो हुवा उसको देखते हुवे सोचा था के अब वेरावलमे ही रहना है मगर वो कहेते हे ना के अगर तकदिरमे अगर लिखा हे तो वहां जाना ही होगा और फिरसे 2018 में खयाल आया के, नही में वेरावल में सेट होने के लिए नही हु। आखिर कर जनवरी 2019में वेरावलसे बाहर पहेले मोरबीमे तीन महीने जॉब की, वहां पर बहनके घर रहा। मगर इस बार भी तकदीर कुछ और ही चाहती थी और वहां से आया अहमदाबाद अप्रीलमें। अहमदाबाद में Fafa furnitures llp में जॉब start की। काफी अच्छा अनुभव मिला। काफी नये लोगोसे जान पहचान हुवी, गुजरात से बाहर और भारत से बहार भी बिझनेस करने का मौका मिला और अभीभी वो अनुभव शरू ही है। मेने जो ये सब बकवास लिखी हे, उसमे में ये कहना चाहता हु के, अहमदबादमें में सेट होने में मेरा अकेले का ही योगदान नही है, में अपने सब परिवार के लोगो को आभार व्यक्त करना चाहता हु जो, मुकेशभाई, रविभाई, हिरेनभाई, मामा के घरसे सबको, और मेरी बहन और DK(DharmeshKumar) और उनके घर वाले सब को। एक छोटासा दुख भी है साथ मे की, हम जहां पर बडे हुवे वहासे जा रहे हे, मगर वो कहेते है ना के, अगर कुछ पाना हो तो कुछ खोना भी पड़ता है। और कौन जाने तकदीर शायद अहमदाबाद से भी आगे कही और ले जाये।
Thank You So Much All.

ચાલ જીવી લઈએ…..

ચાલ જીવી લઈએ…..

તો આજે ઘણા સમય બાદ આ મુવી જોવાનો મોકો મળ્યો. કાશ કે વહેલો જોવાનો મોકો મળી ગયો હોત!!! પણ મુવી જોવા કરતા મુવીને માણવાનો અને સમજવાનો જે ચક્ર મળ્યું છે તે જ અદ્દીતીય છે.
જિંદગીને કેવી રીતે જીવવી એ એક દીકરાને તેના પપ્પા સિવાય કોઈ પણ ના સમજાવી શકે. અને કદાચિત તમે સમજી પણ શકો જ્યારે તમે પોતે એક પપ્પા બની જાવ મતલબ કે એ સ્ટેજ પર તમે પહોંચી જાવ ત્યારે જ તમને અમુક બાબત સમજાય.
જ્યારે-જ્યારે આવા પ્રકારના મુવી જોવ છુ ત્યારે-ત્યારે મને એપ્રિલ 15, 2013 સવારના 07:00 કલાક યાદ આવી જાય છે. આમતો ક્યારેય ભુલાતું તો નથી જ પણ આવા સમયે આપણે કહેતા હોઈએ ને કે વધારે યાદ આવી જાય તેવું થાય છે. માતા-પિતા હંમેશા તેના સંતાન માટે બધી જ મહેનત કરતા હોય છે પછી ભલે તેમાં જીતવાના ચાન્સ 1% જ હોય!!! ઘણી વખત મને પણ એવું લાગે છે કે જે પ્રમાણે તેઓએ જે મહેનત કરીને મને પગ ભર ઉભો કર્યો તે પ્રમાણે હજુ સુધી મેં ખુશી કે સુખ આપવામાં હું એટલો સફળ નથી રહ્યો. હું એવું ક્યારે નહી કહું કે, તેમાં મારા નશીબ કે કિસ્મત સાથ નથી આપતા. પણ ક્યાંક ને ક્યાંક મારી મહેનત ઓછી પડી રહી છે!!! ટૂંક સમય થયા કંઈક બીજે જ દિમાગ ચાલી રહ્યો છે પણ છે તો લખવામાં જ દિમાગ ચાલી રહ્યો છે. હમણાંથી થોડો આળશું પણ થઈ ગયો છું. Whatsap મેસેજમા વધારે વ્યસ્ત થઈ ગયો છું પણ ટૂંક સમયમાં જ કંઈક નવું જાણવા મળશે જ.

જિંદગી તમને આગળ વધવા માટે બીજા રસ્તાઓના પણ સંકેત આપી રહી હોય છે.

આજે સવારે ઓફિસે આવવા ઘરેથી નીકળ્યો. વરસાદ તો બંધ થઈ ચૂક્યો હતો પણ અમુક-અમુક જગ્યાએ પાણી ભરાયા હતા એટ્લે મે સીધા હાઇવે પર અસ્સ્લાલી થી સનાથલ થી નવાપુરા સુધી ક્યાય ટ્રાફિક ના નડ્યો પણ પણ પણ નવાપુરા થી ચાંગોદર બ્રિજ સુધી ચક્કાજામ ટ્રાફિક!!! આવામાં અમારા જેવા બાઇક લઈને ગમે તેમ સાઇડમાથી પણ આગળ નીકળી જાય પણ જેઓ ચાંગોદર બ્રિજની નજીક પહોચ્યો ત્યાં જ ખબર પડી કે, અહિયાં તો અડધાથી ઉપર બાઇક ડૂબી જાય તેટલું પાણી ભરેલું છે એટ્લે તો ટ્રાફિક જામ થયેલો છે!!!
તો હવે પ્રશ્ન ઉપસ્થિત એ થયો કે, આગળ શું કરવું? ઓફિસે જવું કે નહીં? તેવામાં જ સાઈડમાં દુકાન પર ઉભેલા એક ભાઈએ કહ્યું, “ભાઈ બ્રિજ ક્રોસ કરવો હોય તો થોડા રિવર્સમાં પાછળ જાઓ અને રોંગ સાઇડમાથી બ્રિજ ક્રોસ કરો કારણ કે તે સાઈડ જરા પણ પાણી ભરેલું નથી.” તો હવે ફરીથી પ્રશ્ન ઊભો એ થયો કે આ ભાઈ કહે છે તેમ કરવું કે નહીં? બે-ત્રણ મિનિટના વિચાર કર્યા બાદ નક્કી કર્યું કે પહેલા તો રોંગ સાઇડમાં જઇએ પછી ખબર પડે (આ જ વિચારમાં એક વિચાર એવો પણ આવી ગયેલો કે, ઓફિસે જવું જ નથી રીટન ઘરે જતું રહેવું!!) જેવો થોડે રિવર્સમાં રોંગ સાઇડમાં ગયો અને પછી રોંગ સાઇડમાં જ બ્રિજ ક્રોસ કરીને કરીબ ત્રણ-ચાર કિલોમીટર રોંગ સાઈડના સર્વિસ રોડ પર બાઇક ડ્રાઈવ કરી અને પછી ક્યાય ટ્રાફિક ના નડ્યો પણ હા પાણી ભરાયેલા નડયા!!!

તો પહેલા તો તે અજાણ્યા ભાઈએ જે કહ્યું તેના માટે તેઓને ધન્યવાદ. અને આ ઘટના કહેવાનો ઉદેશ્ય મારો એટલો જ છે કે, ક્યારેક જિંદગીમાં પણ આપણે આગળ જ વધવા માંગતા હોઈએ પણ ક્યારેક-ક્યારેક એવી પરિસ્થિતી ઊભી થાય છે કે થોડુક એવું પાછળ જવું પડે અને ત્યાથી ફરીથી આગળ વધો તો ચોક્કસ તમે પહેલા કરતાં બમણી ગતિથી આગળ વધશો. મારી સાથે તો આવું ઘણી વખત બન્યું છે અને હજુ કેટલી વાર બનશે ખબર નહીં! અને કદાચિત એવું પણ બને કે જિંદગી તમને આગળ વધવા માટે બીજા રસ્તાઓના પણ સંકેત આપી રહી હોય છે. જરૂરી એ છે કે આપણે જાગતા રહેવું ગમે ત્યારે ગમે ત્યાથી આગળ વધી શકવાના રસ્તા મળી જ જતાં હોય છે.

પૂના, 15 ઓગસ્ટ, 1947

પૂના, 15 ઓગસ્ટ, 1947
પૂના શહેરના એક ખાલી મેદાનમાં જે વિધિ થઈ રહી હતી તેવી વિધિ ભારતમાં હજારો જગ્યાએ થઈ રહી હતી. ધ્વજવંદનની એ વિધિ હતી. પણ બીજા ધ્વજવંદનો કરતાં આ વિધિ સહેજ જુદી તારી આવતી હતી. 500 માણશોના જુથ વચ્ચે જે ધ્વજ કાઠી પર ચડી રહ્યો હતો, તે આઝાદ ભારતનો રાષ્ટ્રધ્વજ ન હતો. એ ત્રિકોણાકાર ભગવો ઝંડો હતો અને તેના પર જે પ્રતિક હતું તેવા જ પ્રતિક તો એક દાયકા પહેલા સમગ્ર યુરોપને થથરાવી નાખ્યું હતું. સ્વસ્તિકનું પ્રતિક હતું.
હિટલરે જે કારણે એ પ્રાચીન પ્રતિક લહેરાવ્યું હતું તેવા જ કારણથી પુનામાં પણ એ નાનકડી સભામાં ત્રિકોણ ભગવા ઝંડા પર આજે ફરકાવવામાં આવી રહ્યું હતું. એ આર્યોનું પ્રતિક હતું. હિંદના ઉપખંડમાં ઉતારી આવેલા આર્યો વિસરાઈ ગયેલી કેટલીય સદીઓ પહેલા એ પ્રતિક લાવ્યા હતા. પુનામાં અહી જે માણશો એકઠા થયા હતા તે બધા રાષ્ટ્રીય સ્વ્યંસેવેક સંઘના સભ્યો હતા. 48 કલાક પહેલા જિનહાએ માઉન્ટબેટન સાથે ખતમ કરવાનું કાવતરું ઘડનારા, અર્ધ-ફાસિવાદી ચળવળમાં માનનારા એ સૌ ચુસ્ત હિન્દુઓ હતા અને આર્યોના સીધા વારસો તરીકે પોતાની જાતને ગણતાં હતા.
ભારતના બીજા છેડે બેઠેલા અહિંસાના ચશ્માધારી ફિરસ્તા સાથે તેમની એક લાગણી તદ્દન સરખી હતી. આ લોકોને પણ હિંદના ભાગલાથી પારવાર દુખ થતું હતું. પણ બસ, આટલેથી જ ગાંધી અને ગાંધીની વિચારસરણી સાથેનું તેમનું સામ્ય પૂરું થતું.
આ જૂથને એક જ સ્વપન હતું : સિંધુ નદીના પ્રદેશોમાથી પૂર્વ બર્મા સુધી, તિબેતથી માંડીને કન્યાકુમારી સુધી, એક મહાન હૂંડી સામ્ર્જ્યની પુનઃસ્થાપના કરવી. તેમણે માટે હિંદના રાષ્ટ્રીય નેતા હિંદના કટ્ટર દુશ્મન જેવા લાગતાં. અહિંસાના સિદ્ધાંતોથી તેમણે લોકોને મુક્તિ સુધી દોર્યા હતા, તે સિદ્ધાંતને તે “ડરપોકના તત્વજ્ઞાન” જેવા ગણતાં. તેને કારણે હિન્દુ લોકોના ચારિત્ર્યમાથી જોમ ચાલી ગયું છે તેવું તે માનતા. ગાંધી જે ભાઈચારાનો ઉદ્દેશ આપતા, તેવા ભારતના મુસ્લિમો તરફ કોઈ પણ ભાઇચારાને તેમના સ્વ્પ્નોમાં સ્થાન ન હતું. એ લોકો પોતાની જાતને હિન્દુઓ જ ગણતાં અને તેથી જ પોતાની જાતને ઉપખંડના એકમાત્ર કાયદેસરના માલિક ગણતાં. મુસ્લિમો તેમણે માટે દેશને બથાવી પાડના મોગલોમાથી ઉતરી આવેલા હતા.
પણ આથી વધૂ તો, ભારતના વયોવૃદ્ધ નેતાને એક અક્ષમ્ય પાપ માટે જવાબદાર ગણતાં હતા. ગાંધીને માટે આવો આરોપ મૂક્યો તે પણ વિધિની ક્રૂર વિચિત્રતા હતી અને ગાંધીની જિંદગીમાં તે એ ક્રૂરતાં પળ હતી. ગાંધી જ એકમાત્ર એવા રાજનીતિજ્ઞ હતા કે જેમને છેક છેવટ સુધી ભાગલાનો વિરોધ કર્યો હતો અને છતાં આ લોકો તેમને જ ભાગલા માટે જવાબદાર ગણતાં હતા.
ઓગસ્ટ મહિનાનો બપોરે, પુનની એ સભા સમક્ષ એક અખબારનવીસ ઊભો હતો. 1947ની એ ગિષ્મમાં નથુરામ ગોડસેને 37વર્ષ થયા હતા, છતાં તેના ચહેરા પર બાળકો જેવી ચરબીના થર હતા. તેને કારણે તેની ઉમર કરતાં પણ તે ઘણો નાનો લાગતો હતો. તેની આંખો અસાધારણ હતી. મોટી વિષાદમય આંખોમાં કઈક સમમ્હોકતા હતી. તેના શાંત ચહેરા પર અણગમાની એક આછી રેખા ઊપસેલી હતી. તેના મોં અને નસકોરાં પર કઇંક એવી રખાઓ હતી કે જાણે પાડોશમાં ઉભેલા કોઈ આદમીમાથી આવતી બદબૂ તેને સૂંઘી હોય છતાં એ દર્શાવવામાં તે નમ્રતા દાખવતો હોય અથવા પોતાની જાત પર કાબૂ રાખતો ન હોય!
પણ અત્યારે એ રેખાઓ શાંત ન હતી. હિંદના સ્વાત્ન્ત્ર્ય વિશેની પોતાની લાગણીઓ તો આ પહેલા એક તંત્રી તરીકે “હિન્દુ રાષ્ટ્ર” નામાના દૈનિક અખબારના પ્રથમ પાનાં પર તેને આલેખી જ હતી. જે જગ્યાએ રોજ તંત્રીલેખ લખવામાં આવતો, તે જગ્યાને કોરી રાખવામા આવી હતી અને તેની આસપાસ કાળો પટ્ટો છાપીને શોક પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.
આખાય હિંદમાં જે મુક્તિપર્વ ઉજવાય રહ્યું છે “તે તો એક સભાનપણે ઊભી કારાયેલી ચાલના છે, જેથી સેકડો હિન્દુ પુરુષોની થઈ રહેલી કતલ અને સેકડો સ્ત્રીઓ પરના બળાત્કારો લોકોથી છુપાવી શકાય.” નથુરામે પોતાના અનુયાઈઓને કહ્યું હતું.
“હિંદના ટુકડાઓ” – તેણે મોટે અવાજે કહ્યું હતું, “હિંદના ટુકડાઓ કરવાથી લાખો પ્રજાજનોને પારવાર યાતનામાં ગર્ત કરવામાં આવ્યા છે. એ કામ કોંગ્રેસ પાર્ટીનું છે અને તેથી તો વધુ તો તેના નેતા ગાંધીનું છે.”
ભાષણના અંતે નથુરામે એ 500 જણને ધ્વજવંદન કરાવ્યુ હતું. બેનને હાથના અંગૂઠાઓ છાતીએ અડાડીને, મુઠ્ઠીઑ વાળીને, કોણીઓ છાતીથી કાટખૂણે રાખીને એ સૌએ પ્રતિજ્ઞાનો ઘોષ કર્યો કે, “જે ધરતીએ મને જન્મ આપ્યો છે અને જ્યાં હું ઊછર્યો છું તે માભોમ ખાતર મારૂ શરીર મારવા માટે તૈયાર છે.”
એ શબ્દો બોલતા બોલતા હરહમેશની જેમ નથુરામ ગોડસેના શરીરમાં ગૌરવની ધ્રુજારી પ્રસરી. આખી જિંદગી, શાળાના પોતાના અભ્યાસથી માંડીને અડધો ડઝન જેટલા ધંધાઓમાં નથુરામ ગોડસે નિષ્ફળ નીવડેલો આદમી હતો. તે પછી તેણે આર.એસ.એસ. ના અંતિંવાદી ધ્યેયોને અપનાવ્યા હતા. તેનો વાતો અને તેના સાહિત્યમાં તરબોળ થઈને પોતાની જાતને તેણે લખતા, વાંચતાં અને બોલતા શીખવ્યું હતું અને આખરે તે ચળવળના ચુનંદાઓમાનો એક બન્યો હતો. હવે તે પોતાની જાતને એક નવા પત્રમાં જોતો હતો. તે હવે વેર તરસ્યો આત્મા બનવાનો હતો. જોમવંતા હિન્દુ પુનરુથનના દુશ્મનોના હાથમાથી હિન્દને પવિત્ર કરવા માટેનો એ ઉદ્વારક બનવા માંગતો હતો અને એ પાત્રમાં, જિંદગીમાં પ્રથમવાર નથુરામ ગોડસે નિષ્ફળતા પામવાનો ન હતો.

—– અર્ધી રાત્રે આઝાદી (પુસ્તક)
અનુવાદ બાય—અશ્વિની ભટ્ટ

તો કોણ જાણતું હતું કે, 15 ઓગસ્ટ 1947ના આઝાદીના દિવસે જે લોકો ભારત દેશ નો રાષ્ટ્ર ધ્વજ ને સ્વીકારવા તૈયાર ના હતા તેમના એક સ્વંય સેવક અત્યારે બીજી વખત ભારત દેશના વડાપ્રધાન બનશે!!! પુસ્તકમાં એ પણ લખેલું છે કે, ત્યાર બાદ સરદાર વલ્લભભાઈ પટેલે આવી સંસ્થા પર રોક લગાવવાનું સૂચન પણ જવાહરલાલ નહેરુને કરેલું પણ નહેરુ એ એવું કહ્યું હતું કે, આપણો ભારત દેશ એક લોકશાહી દેશ છે અને તેમાં લોકો પોતાની રીતે કોઈ પણ સંસ્થા ચલાવી શકે છે. અને અત્યારે વિધીની વક્રતાતો જુવો ત્યારના સમયના નેતાઓને જ કોશી-કોશી અને તે જ સમજાવવાની કોશિશ કરે છે કે તે લોકોએ જે કર્યું તે બધું જ એટલે બધું જ ખોટું કર્યું હતું!!! હા, હશે કાઈ કોઈ વ્યક્તિના બધા જ નિર્ણય તો સાચા ના જ હોય માનીએ પણ ફકત ને ફક્ત તે લોકો ખોટા જ હતા તેવું સાબિત કરવાનો પ્રયાસ આટલો બધો પણ શા માટે કરવો જોઈએ??

આ પોસ્ટમાં હું કોઈ પાર્ટને સમર્થન કરવાનો પ્રયત્ન બિલકુલ નથી કરતો કારણ કે અત્યારે અમુક લોકો પોતાના દિમાગને ભાડે આપીને બસ અને બસ એવું જ માનશે કે હું તેઓની વિરુદ્ધમાં છું. નહીં બિલકુલ નહીં હું કોઈની વિરુદ્ધમાં નથી પણ હા તેઓ એમ કહે છે કે, હવે ધર્મની રાજનીતિ ખતમ!! ત્યારે મારા જેવાને હસવું આવે છે કે, ભાઈ તમારી પાર્ટી તો વર્ષોથી ધર્મનો જ સહારો લઈને આગળ વધી રહી છે. ઇતિહાસ વાંચો બધો ખ્યાલ પડી જશે!!!

આમાં અમુક લોકો કહેશે કે, ભાઈ આવી નેગેટિવિટી ના ફેલાવો. તો તેવા લોકોને પણ મારું એટલું કહેવાનું થશે કે, હું તો ફક્ત સત્ય ફેલાવું છું. હા, તમારે તમારી રીતે ચશ્મા પહેરીને જોવું હોય તો જુવો તેમાં કાઈ જ વાંધો નથી. આખરે જનતા સર્વોપરી હોય છે. જનતાનો નો નિર્ણય સાચો જ હોય છે. બસ, લોકશાહી જીવતી રહેવી જોઈએ!!!

50 साल बाद भी मेरे जहन में यही रहेगा के……

50 साल बाद भी मेरे जहन में यही रहेगा के,
तुम्हारे साथ बिताया हुवा वो एक लम्हा (One Hour),
मेरी जिंदगी को बदलने के लिए काफी हे,
मे उस एक लम्हे में पूरी जिंदगी जी गया,
ऐसा लगा जैसे वक़्त को वही रोक दू,
हवा को वही थाम लू,
आज भी वो अहेसास में महसूस कर शकता हु,
में तुमसे प्यार तो कबसे करने लगा था,
पर,
प्यार किसे कहते हे,
वो तुमसे मिलने के बाद पता चला,
उसके बाद से आज तक और अभीभी तुम्हे हरपल याद करता रहता हूं,
वेसे याद करना भी प्यार का दूसरा नाम हो शकता हे,
शायद तुम्हारे दिल में भी मेरे लिए यही अहेसास होगा,
पर,
कभी कबार उस अहेसास को हमें लफ्जो में बयां करना जरुरी हो जाता है।

में मानता हूं मुझसे गलतिया हूवी हे,

पर ऐसी भी नहीं हूवी की,

जिसे सुधारा या माफ़ ना कर शके।

अब देशमे बीच का कोई रास्ता नहीं रह गया!

अब देशमे बीच का कोई रास्ता नहीं रह गया! या तो आप इस साइड हो जाए, या फिर उस साइड. आप या तो भीड़ का हिस्सा बन जाइए, या फिर भीड़ के विरोध मे चले जाइए। जिस तरहा से देश की जनताको सुनहेरे सपने दिखाने की कोशिश की गयी थी उसमे आँख खुलने से पहेले ही चकनाचूर होते नजर आ रहे हे. आज हमारे देश मे “बिनसांप्रदाइकता” जेसे शब्द केवल किताबों मे दफन होते जा रहे हे। मुझे बहोत ही दुख के साथ कहेना पड़ता हे के, देश के हालत बत से बदतर होते जा रहे हे। थोड़े समय पहेले की ही बात हे जहा हमारे देश की छबी आंतरराष्ट्रीय स्तर पर बहोत ही अच्छी हो चुकी हे ईएसए मीडिया और सारे जगहा से मेसेज मे आता था। पर अभी थोड़े दीनो मे जो घटनाए सामने आई हे उसमे भी हमारे देश की छबी आंतरराष्ट्रीय स्तर पे बहोत ही भीरी साबित हो रही हे, जेसा UN ने हाल ही मे कहा।
और कुछ लोग तो एसे बात कर रहे हे जेसे कुछ हुवा ही नहीं! या फिर एसा बताने की कोशिश कर रहे हे के, जो हुवा वो अच्छा हुवा! मे आपको बताना चाहता हु के आज जो किसी और के साथ हुवा हे वो कभी ना कभी आप के साथ भी हो शकता हे!!
मुझे बहोत ही अच्छी तरहा याद हे की, पहेले जब एसी कोई घटना बनती थी तो मेरे आसपास के लोग जो हे वो सरकार और प्रशाशन के ऊपर बहोत ही गुस्सा उतरते थे. पर आज-कल देख रहा हु कोई कुछ नहीं बोल रहा! या फिर सब लोगो के होठोपर गम चिपका दिया हे किसिने! मतलब शायद इन लोगो को भी लग रहा हे की कही ना कही हमने ही गलत लोगो को चुना हे?

और एक दूसरी घटना पर भी मेरा ध्यान गया हे। कहेते हे के जो लोग सफल नहीं होते वो लोग अक्सर दूसरों को ही दोषी ठहराने की कोशिश करते रहेते हे। जिसके बारे मे मेने “सोचिए और अमीर बनिये “. निपोलियन हिल की पुस्तक मे आखिर मे पढ़ा हे!! और आज-कल यही मुझे देश के सता मे बेठे लोगो मे दिख रहा हे.

भूल : को भूल-जाओ

ભૂલ. ખરેખર તો આ શબ્દ ને જ ભૂલવામાં સૌથી મોટો ફાયદો છે. છતાં પણ આપણે બધા આ શબ્દ ને આખી જિંદગી ભૂલી નથી શકતા. અને બસ ગમે ત્યારે જ્યારે પણ આપણા  જીવનમાં પરિસ્થિતી કે સંજોગો આપણી આપણી મુજબના ચાલતા નથી હોતા ત્યારે આપણે અચાનક જ કહેતા હોયએ છીયે કે, મારી આ ભૂલ થઈ હતી એટ્લે મારી સાથે આવું થયું છે.અને આપણે ઘરે કે સમાજમાં પણ ક્યાય એવું નહીં કહેતા કે, ચાલ્યા કરે ભાઈ. બલ્કે એવું કહેતા જરૂર સાંભળ્યુ છે કે, જો જે ગયા વખતે કરી હતી તેવી ભૂલ ફરીથી ના કરી બેસતો કે કરી બેસતી. અને બસ પછી શું? આપણુ મગજ પણ જે તે વખતની ભૂલની ગણતરી કરાવવા મંડી પડે છે અને ઓટોમેટીકલી આપણે જેને અત્યારે સકારાત્મ્ક વિચારોમાથી નકારાત્મક વિચારો તરફ વળી જઇયે છીએ અને પરિણામ ફરીથી એ ને એ જ.

આજે આ ટોપીક પર લખવાનું મન થયું છે તો આને રિલેટેડ એક ઉદાહરણ યાદ આવે છે. તો વાત છે બે વર્ષ પહેલાની. એક છોકરો એક છોકરી સાથે લગભગ ત્રણ કે ચાર દિવસથી ફક્ત મેસેજ માં વાત-ચીત કરી રહ્યો હતો. તેને શું લાગ્યું કે ચોથા દિવસે તેણે તે છોકરીને ફોન કર્યો અને છોકરી ગુસ્સે થઈ ગઈ અને તરતજ તેણીએ મેસેજ મોકલવાના બંધ કરી દીધા. એટ્લે એલા છોકરાએ તરતજ તેની ભૂલ થઈ તે બદલ માફી માંગી. પણ સવાર સુધી કઈ જ વળતો જવાબ ના આવ્યો એટ્લે એ ભાઈ તો સીધા તેણીને રૂબરૂમાં માફી માંગવા તેણીની ઓફિસે જવા નીકળી ગયા. લગભગ પાંચ થી છ કલાકના રસ્તામાં ન તો તેણે કઈ રસ્તામાં ખાધું અને ન તો સરખું પાણી પણ પીધું અને ઉપરથી તડકો કહે મારૂ કામ. તેણીની ઓફિસે પહોચ્યો એટ્લે સ્વાભાવિક છે કે છોકરીને આંચકો તો લાગવાનો જ. એટ્લે છોકરી પણ બોલવા ગઈ કે, તમે આવી રીતે મારી ઓફિસે ના આવી શકો… પણ તેણીને અધવચ્ચે જ અટકાવીને છોકરાએ કહ્યું, જસ્ટ સે ટુ સોરી. અને બસ તે પાછો ભૂખ્યો, તરસ્યો નીકળી ગયો.   તો અમુક લોકોને આદત હોય છે કે કદાચિત નાની લાગતી ભૂલને પણ તેઓ એટલી ખેચી-ખેચીને મોટી કરી દે છે કે આખી જિંદગી મગજમાં ક્યાક ને ક્યાક ખુચ્યા કરે છે. એવું નથી કે ભૂલ ન જ થવી જોઈએ. પણ ભૂલ ને ભૂલ-વામાં જ ફાયફો રહેલો છે કારણ કે તમે ગમે તે કરશો જિંદગી હમેશા આગળ જ વધતી રહેશે. પછી ભલે તે ભૂલ મારી હોય, તમારી હોય કે કોઈ બીજાની હોય તેનાથી રતિભર પણ કઈ જ ફર્ક નથી પડતો. અને ગમે તેટલી ભલે મોટી ભૂલ થઈ હોય તમારાથી જો તમે માફી માંગી લીધી છે તો માફ કરીને આગળ વધો. શક્ય છે કે કદાચિત કોઈ તમને માફ ના પણ કરે તો પણ ઓકે તમે તમારી ફરજ પૂરી કરી માફી માંગીને બસ.

ઘણા એવા લોકો પણ હશે જે મારી વાત થી સહમત નહીં હોય. હું પોતે પણ એક સમયે આવું બધુ દિમાગમાં લઈને ફરતો પણ પછી ખ્યાલ પડ્યો કે, આવું બધુ દિમાગમાં રાખીને દિમાગ પર ફક્ત ને ફક્ત ભાર વધી રહ્યો છે બીજું કઈ જ નથી એટ્લે છોડો બધુ ભૂલ તો થતી રહે. અને આપણે બધા કહેતા તો હોયએ જ છીએ ને કે, માણસ પોતાની ભૂલમાથી જ શિખતો હોય છે. અને ક્યારેક અમુક ભૂલ અજાણતા પણ થઈ જાતિ હોય છે. જે ભૂલ કરનારને પણ ખ્યાલમાં આવતા વાર લાગતી હોય છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

Madaari Movie

जिन्हे कोई बहोत बड़ा गोल अचिव करना होता हे ना,
तुम्हें अपने सारे रिस्ते, सारे लगाव, सब भूलकर ,
हमको वो करना पड़ेगा,
जो हमको करना चाहिए।

सरकार भ्रष्ट हे ये सच नहीं हे,

भ्रष्टाचार के लिए ही सरकार हे ये सच हे!!

          
                      Madaari—2016
 
  મદારી મૂવી હમણાં થોડી વાર પહેલા જ પૂરું કર્યું. આમ તો હું મૂવી વિષે ક્યારેય કાઇ પણ નથી લખતો. લખું તો એકાદ કોઈ મુવીનો ડાયલોગ બહુ જ પસંદ પડ્યો હોય તો લખું બસ. કારણ કે મુવીના ફિડબેક આપવાવાળા લોકો ઘણા છે. તો આ મુવીનો હું કાઇ ફિડબેક નથી આપી રહ્યો પણ જે અનુભવ્યું છે તે લખી રહ્યો છું. અને કહે છે કે અનુભવથી મોટું શિક્ષક કોઈ જ નથી હોતું.

  તો મુવીની શરૂઆતમાં જ ડાયલોગ આવે છે, કહાની સચ્ચી લગતી હે લેકિન અચ્છી નહીં લગતી. આ મૂવીમાં ખરેખર પોલિટિક્ષ વિષે આપણને ઘણી માહિતી મળે છે અને તે પણ સાચી જ. આમ પણ આપણને દેખાય પણ છે છતાં પણ આપણે બધા આંખ આડા કાન કરીએ છીએ. કારણ કે અમુક પ્રકારના કામ કરવા માટે આપણે અમુક લોકોને રાખ્યા છે. પણ જો તેઓ તેનું કામ સારી રીતે ના કરતાં હોય અથવા તો પોતાનો ફાયદો પહેલા વિચારતા હોય તો આવા માણસો અત્યારે જે આપણે મૂવી માં જોઇએ છે. તેવા કદાચિત આમ આદમી રિયલ, એક્ચ્યુલ લાઈફમાં જો જાગી જાશે તો ઘણી જ પરિસ્થિતી ખરાબ થશે.  

આ મુવીની કહાની તો શું કોઈ પણ કહાની કે ઘટના કે કોઈ એવી ચોટ જો તમે ક્યારેય અનુભવ ના કર્યો હોય ને ત્યાં સુધી તેનો અહેસાસ નો થાય. આ બધા કહેવાતા રાજનેતાઓને પોતાની ઝેડ, ઝેડ+ સેક્યુરિટી અને પોતાની બુલેટપ્રૂફ કારમાં ફરવું છે. આમ આદમીની જેમ એક વાર લાઈફ જીવી તો બતાવે તો ખ્યાલ પડે!! અમે પાછા બરાડા પાડે એ અલગ કે, આવો અમારા દેશમાં, આવો અમારા રાજ્યમાં, આવો અમારા શહેરમાં…. અરે ભાઈ એ તો દેખાય જ રહ્યું છે જે પરિસ્થિતી છે એ. સારા કામ કોઈ દિવસ ગણાવા નથી પડતાં એ તો ઓરોમેટીક જ પબ્લિકની સામે ગણાય જ જતાં હોય છે.

જન્મ અને મુર્ત્યુ : બંને ફિક્સ?

  હું અહી કોઈ વિધાતા કે નસીબ કે કિસ્મત કે લક ની વાત કરવા નથી માંગતો. હું તો વાત કરવા માંગુ છું કે જો આ દુનિયામાં તમારો જન્મ થયો, તે શું તમારી તમારી મરજીથી થયો? નહીં ને તો પછી બધુ જ નક્કી છે બિલકુલ એક ફિકસન નવલકથાની જેમ. માનો કે તમારો જન્મ થયો. તમે પહેલો શ્વાસ લીધો આ દુનિયામાં પછીના વર્ષે તમારો પહેલો જન્મ દિવસ આવ્યો ત્યારે તમે એટલા સભાન હતા કે તમને ખ્યાલ પડે કે આ મારો જન્મ દિવસ છે? નહીં ને. તમે બીજાઓને જુવો છો અને તેવી રીતે કરવા લાગો છો. ધીરે-ધીરે તમે મોટા થતાં જાવ છો અને જેમ-જેમ મોટા થાવ છો તેમ-તેમ દુનિયાએ(વિધાતા કે ભગવાન કે ગોડ કે અલ્લાહએ નહીં હો!) જે નક્કી કરી રાખેલું છે તેમ ઢળતા જાવ છો. જેમ પાણીને એક બોતલમાથી કોઈ બીજા બાઉલ માં ઠાલવવામાં આવે તેમ તે ઢળાઈ જાઈ બિલકુલ તે રીતે જ આપણે પણ બ્રુસ લી એ કહેલું તે પ્રમાણે, પાની કી તરહા બહેનાં શીખો. તેમ ઢળતા જઈએ છે.
તમે સ્કૂલે જવા માંડો છો. પછી માધ્યમિક સ્કૂલ અને પછી મેટ્રિક(હવે તો ક્યાં મેટ્રીક જેવુ છે?) ત્યાર બાદ કોમર્સ, સાયન્સ કે આર્ટ્સ જોઇન્ટ કરવાનો વારો આવે અને તે પણ જુવો બધુ ફિક્સ જ છે. તમે જો કોમર્સ લો તો પહલો ટાર્ગેટ દિમાગમાં C.A. નો આવે પછી બીજું બધુ. જો તમે સાયન્સમાં જવાનો નિર્ણય લીધો તો A ગુપ અને B ગ્રૂપ અને તેમાં પણ ફિક્સ એક ઇંજિનયરિંગ અને બીજું ડોક્ટર. અને છેલ્લું આર્ટ્સ. જો તમે આર્ટ્સ જોઇન્ટ કર્યું તો તમે પાક્કા પહેલા શિક્ષક ગણાશો પછી બીજું બધુ. ત્યાર બાદ આવે કોલેજ એક દમ જલ્સાની જિંદગી. અહિયાં જ બધા લોચા ચાલુ થાય. તમે જેવા કોલેજે જવા લાગો એટ્લે લાઈફમાં  રિલેક્ષ ફિલ કરવા લાગો અને જેમ-જેમ કોલેજના દિવસો પૂરા થાય કે પછી ખ્યાલ પડે કે બહારની દુનિયામાં તો ભાઈ કુતરા-બિલાડાની રેસ લાગી છે એટ્લે તમે પણ જતપત જેટલું બને તેટલું ઝડપથી એક જોબ, નોકરી શોધવા માંડો અને જેવી નોકરી મળે કે કોલેજમાં બનાવેલી ગર્લ ફ્રેન્ડ મેરેજ કરવાની વાત કરે અથવા તો ઘરના મેરેજની પાછળ પડે અને ક્યાંક-ક્યાંક તમારા મનમાં પણ લાડુ ફૂટતા હોય એટ્લે તમે પણ હા પાડી ડો છો અને હવે શરૂ થાય અસલી, ઓરીજનલ જિંદગી.

પછી તમે જેમ આ દુનિયામાં આવ્યા છો તેમ તમે પણ કોઈને તેની મરજી ના હોય છતાં પણ ઘસેડીને આ દુનિયામાં લાવો છો. પણ આમાં ખરેખર મઝા છે એટ્લે સારું છે. ધીરે-ધીરે દુનિયાના કહેવાતા રીતિ, રિવાજોમાં રંગાતા જાવ છો અને તમારું નામ સમાજમાં મોટું બનતું જાય છે. ત્યાર બાદ અમુક સમય બાદ તમારે ત્યાં આવેલા માહેમાનના મેરેજ થાય છે અને તેને ત્યાં પણ કોઈ જન્મ લે છે બિલકુલ એવી જ રીતે જેમ તમારો આ દુનિયામાં જન્મ થયો હતો. અને એક દિવસ અચાનક તમારા શ્વાસ ટૂંકા થવા લાગે છે અને મુર્ત્યુની પળ નજીક આવતી દેખાય છે. અને તમે કોરા કાટ જેમ બધા આ દુનિયામાં આવ્યા હતા તેમ તમે પણ આ દુનિયામાથી ચાલ્યા જાવ છો.
 

આમાં એવા લોકો અપવાદ છે જે પોતાનું કઇંક નામ અલગ કરી દેખાડે છે આ દુનિયામાં, બાકી તો આપણે બધા જ એક ટોળામાં જ મોટા થઈએ છે અને ટોળામાં જીવીએ છે અને ટોળામાજ એક દિવસ મરી જઈએ છે. ખરેખર તમે આ દુનિયામાં શું કામ કરવા આવ્યા હતા અને શું કામ કરી રહ્યા છો? એ પણ જો તમને જિંદગીમાં ખ્યાલ પડી જાય ને તો પણ ભૈયો ભૈયો. અમારા જેવાને તો આખી જિંદગી ખબર જ નથી પડતી. બસ જીવીએ છીયે કાઇ કારણ વગર અથવા તો “દુનિયામે આયે હે તો જીનાહી પડેગા” ની જેમ જીવીએ છીએ.
દુનિયામથી અડધા કરતાં વધારે લોકો એવા હશ
ેજે પોતે જીવતા તો હશે પણ પોતાના માટે નહીં પણ કોઈ બીજા માટે. જેમ કે માતા-પિતા જીવે છે પોતાના દીકરા-દીકરી માટે. દીકરા-દીકરી નાના હોય એટ્લે તેને તો હજુ ઓછી ખબર હોય કે જીવન શું છે, એટ્લે તેઓ પોતાના માતા-પિતાને અનુસરીને જીવવા લાગે છે. આપણામાથી કેટલા એવા માતા-પિતા હશે જે, જો પોતાના બાળકોની જવાબદારી ના હોય તો જીવવા માંગે છે? જવાબ શોધવો થોડો અઘરો છે. પણ તમને ગમે ત્યારે આનો જવાબ મળી જશે. ક્યારેક રસ્તામાં ચાલતા તો ક્યારેક કોઈના ઘરમાં બેઠા હશો ત્યારે. પણ એક વખત જરૂર મળી જશે.
બોય ફ્રેન્ડ જીવે છે ગર્લ ફ્રેન્ડની માટે(મેરેજ પછી શું થાય એ ખબર નહીં હો!!!),
દાદા-દાદી જીવતા હોય છે પોતાના પૌત્રને રમાડવા,. અલ્ટિમેટલી આપણે બધા એક સાંકળની જેમ જીવીએ છીએ. ધારો કે, દસ વ્યક્તિ એક જ લાઇનમાં ઊભા છે. અને દસે દસને મદદની જરૂર છે તો તેમાં જો દિમાગનો ઉપયોગ કરવામાં આવે તો કોઈ બહારની વ્યકતી મદદ ના કરે તો પણ તેઓ પોતાની મદદ વડે આગળ વધી શકે છે. જેમ કે, પહેલો વ્યક્તિ સૌથી છેલ્લા વ્યકતીની મદદ કરે સૌથી છેલ્લો વ્યકતી તેના આગાળનાની મદદ કરે અને તેમ-તેમ સાંકળ આગળ વધતી જાય અને અલ્ટિમેટલી સૌથી પહેલા વ્યક્તિ સુધી બધાની મદદ થઈ જાય અને બધા જ એક સાથે આગળ વધે. પણ આપણે ત્યાં ક્યારેક-ક્યારેક આનાથી ઊલટું ચાલતું હોય છે. જો સૌથી પહેલો વ્યક્તિ આગળ વધતો હોય તો તેની પાછળનો તેને આગળ વધારવાને બદલે તેને પાછળ તરફ ખેંચવાનો પ્રયત્ન કરશે અને સાથે-સાથે તે પણ ઓટોમેટિક પાછળ જ ગતિ કરશે, આગળ નહીં.
તો ખરેખર જન્મ અને મૂર્તયું એ બંનેની વ્યવસ્થા આપણે જ બનાવેલી છે નહીં કે વિધાતા, ગોડ, ભગવાન કે અલ્લાહ એ! માણસે પોતે પોતાનો વંશ આગળ ને આગળ વધતો રહે એટલા માટે બનાવી છે. અને નામ આપી દીધું છે, વિધાતાના લેખાં આગળ કોઈનું ના ચાલે.